Monday, October 7, 2013

સ્થાપનાની વિધિઃ

સ્થાપના માટેના શુભ મૂહુર્તઃ-
આજે પંચાંગ પરંપરા મુજબ ચોઘડીયા પ્રમાણે માતાજીની સ્થાપના કરવા માટે સવારે ૦૮-૦૩ થી ૦૯-૩૩ તથા રાત્રે ૦૭-પ૨ થી ૦૯-૨૧ નો સમય શ્રેષ્ઠ છે. હોરા મુજબ સવારે ૦૭-૩૪ થી ૦૯-૩૩, સાંજે ૦પ-૨૨ થી ૦૬-૨૧, રાત્રે ૦૭-૨૩ થી ૦૮-૨૪ સુધીનો સમય શાસ્ત્રોકત રીતે શુદ્ધ છે.
સ્થાપનાની વિધિઃ-
સૌ પ્રથમ જમીનને શુદ્ધ કરવા માટે ગૌમૂત્ર અને ગંગાજળ છાંટવું. ત્યાર પછી બાજોઠ ઉપર લાલ રેશમી વસ્ત્ર બીછાવી માતાજીની મૂર્તિ‌ અથવા છબીની સ્થાપના કરવી, ત્યાર પછી તેને શુદ્ધ ચંદન અથવા કંકુનો ચાંદલો કરી ફુલનો હાર ચઢાવવો.
આરતી ક્યારે કરવીઃ-
ઘીનો દિવો અને અગરબત્તીનો ધૂપ કરી માતાજીને નૈવેદ્ય સ્વરૂપે સાકર મીશ્રીત દુધ અને ફળ ધરવા. ચંડીપાઠનું પઠન કરવું. આ ઉપરાંત માતાજીની સ્તુતિ, મંત્ર બોલવા. માતાજીની આરતી કરવી અને પછી પ્રસાદ સૌને વહેંચવો. 
'' વિકૃતી ના નાશ માટેની શકિત અમોને પ્રાપ્ત થાઓ. ’’ એવી પ્રાર્થના કરી રાસ-ગરબા કરવા.

No comments:

Post a Comment