Sunday, December 1, 2013

વેદિક જ્યોતિષ: ચોઘડિયાં અને હોરા

વેદિક જ્યોતિષ: ચોઘડિયાં અને હોરા: ચોઘડિયાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે ‘ચોઘડિયાં’ શબ્દથી અપરીચિત હશે. આપણા સમાજમાં દરેક સારા-નરસાં કાર્યનો પ્રારંભ ચોઘડિયું જોઈને કરવ...

Tuesday, November 26, 2013

સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો આ ઉપાયો અજમાવો(Nakshatra)

સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો આ ઉપાયો અજમાવો(Nakshatra)

સમસ્યાઓ દૂર કરતાં ચાર ઉપરત્નો(Nakshatra)

સમસ્યાઓ દૂર કરતાં ચાર ઉપરત્નો(Nakshatra)

તમારા ઘરનો દરવાજો કેવું ફળ આપશે?(Nakshatra)

તમારા ઘરનો દરવાજો કેવું ફળ આપશે?(Nakshatra)

કાલસર્પ દોષમાંથી મુક્ત થવાના ઉપાયો(Nakshatra)

કાલસર્પ દોષમાંથી મુક્ત થવાના ઉપાયો(Nakshatra)

યંત્ર, મંત્ર અને દાનથી મંગળને મિત્ર બનાવો(Nakshatra)

યંત્ર, મંત્ર અને દાનથી મંગળને મિત્ર બનાવો(Nakshatra)

ગજકેસરી યોગ હોય તો સર્વ પ્રકારનું સુખ મળે છે (કવર સ્ટોરી)(Columnist)

ગજકેસરી યોગ હોય તો સર્વ પ્રકારનું સુખ મળે છે (કવર સ્ટોરી)(Columnist)

Monday, October 7, 2013

The Largest Sharing and Social Data Platform. We Provide Twitter and Facebook Buttons, Custom Audience Targeting, and more. | AddThis

The Largest Sharing and Social Data Platform. We Provide Twitter and Facebook Buttons, Custom Audience Targeting, and more. | AddThis

સ્થાપનાની વિધિઃ

સ્થાપના માટેના શુભ મૂહુર્તઃ-
આજે પંચાંગ પરંપરા મુજબ ચોઘડીયા પ્રમાણે માતાજીની સ્થાપના કરવા માટે સવારે ૦૮-૦૩ થી ૦૯-૩૩ તથા રાત્રે ૦૭-પ૨ થી ૦૯-૨૧ નો સમય શ્રેષ્ઠ છે. હોરા મુજબ સવારે ૦૭-૩૪ થી ૦૯-૩૩, સાંજે ૦પ-૨૨ થી ૦૬-૨૧, રાત્રે ૦૭-૨૩ થી ૦૮-૨૪ સુધીનો સમય શાસ્ત્રોકત રીતે શુદ્ધ છે.
સ્થાપનાની વિધિઃ-
સૌ પ્રથમ જમીનને શુદ્ધ કરવા માટે ગૌમૂત્ર અને ગંગાજળ છાંટવું. ત્યાર પછી બાજોઠ ઉપર લાલ રેશમી વસ્ત્ર બીછાવી માતાજીની મૂર્તિ‌ અથવા છબીની સ્થાપના કરવી, ત્યાર પછી તેને શુદ્ધ ચંદન અથવા કંકુનો ચાંદલો કરી ફુલનો હાર ચઢાવવો.
આરતી ક્યારે કરવીઃ-
ઘીનો દિવો અને અગરબત્તીનો ધૂપ કરી માતાજીને નૈવેદ્ય સ્વરૂપે સાકર મીશ્રીત દુધ અને ફળ ધરવા. ચંડીપાઠનું પઠન કરવું. આ ઉપરાંત માતાજીની સ્તુતિ, મંત્ર બોલવા. માતાજીની આરતી કરવી અને પછી પ્રસાદ સૌને વહેંચવો. 
'' વિકૃતી ના નાશ માટેની શકિત અમોને પ્રાપ્ત થાઓ. ’’ એવી પ્રાર્થના કરી રાસ-ગરબા કરવા.

નવરાત્રિમાં રાશિ પ્રમાણે ઉપાયો કરો અને વેપાર-ઉદ્યોગ, સુખ-શાંતિ વધારો (મહાનુભાવોનું ભવિષ્ય)(Columnist)

નવરાત્રિમાં રાશિ પ્રમાણે ઉપાયો કરો અને વેપાર-ઉદ્યોગ, સુખ-શાંતિ વધારો (મહાનુભાવોનું ભવિષ્ય)(Columnist)

નવરાત્રી ઘટસ્થાપના વિધિ

નવરાત્રી ઘટસ્થાપના વિધિ

W.D
આસો શુક્‍લ પ્રતિપદા (એકમ) નાં દિવસે બ્રહ્મ મુહુર્ત માં જાગ્રત થઈ આ શૌચ-સ્‍નાનાદિથી પવિત્ર થઈ નિત્‍ય બ્રહ્મ કર્મ ને સંક્ષિપ્તમાં પૂર્ણકરી બ્રાહ્મણને બોલાવી (અથવા જાતે)શુભ મુહુર્ત જોઈ પૂજા સાહિત્‍યની તમામ સામગ્રીઓ પાસે રાખી પૂર્વાભિ મુખે બેસી પ્રથમ આચમન પ્રાણાયામ કરી પોતાના ભાલ પ્રદેશમાં ચંદન કુમકુમનો ચાંદલો કરવો. અને શાંતિ સુક્‍તનો આરંભ કરવો.

અથ શાંતિ સુક્‍ત

ૐ સ્‍વસ્‍તિન ઇન્‍દ્રો ઋદ્ધશ્‍શ્રવાઃ સ્‍વસ્‍તિનઃ પૂખા વિશ્‍ધવેદાઃ 
સ્‍વસ્‍તિનસ્‍તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ
સ્‍વસ્‍તિનો બ્રહસ્‍પતિર્દધાતુ 
સુશાન્‍તિ ભૅવતુ
સર્વ દેવ નમસ્‍કાર 

શ્રી મન્‍મહા ગણાધિ પતયે નમઃ શ્રી મદ ગુરુભ્‍યો નમઃ ઇષ્ટ દેવતાભ્‍યો નમઃ કુલદેવતાભ્‍યો નમઃ ગ્રામદેવતાભ્‍યો નમઃ સ્‍થાનદેવતાભ્‍યો નમઃ વાસ્‍તુદેવતાભ્‍યો નમઃ વાણી હિરણ્‍યગર્ભાભ્‍યાં નમઃ શ્રી લક્ષ્મી નારાયણાભ્‍યાં નમઃ શ્રી ઉમા મહેશ્‍વરાભ્‍યાં નમઃ શચી પુરન્‍દરાભ્‍યાં નમઃ માતૃ પિતૃ ચરણ ચરણ કમલેભ્‍યો નમઃ સર્વેભ્‍યો દેવેભ્‍યો નમઃ સર્વેભ્‍યો બ્રાહ્મણે ભ્‍યો નમઃ સર્વેભ્‍યો તિર્થેભ્‍યો નમઃ એતત્‌ કર્મ પ્રધાન ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્‍વતી ત્રી ગુણાત્‍મિકા દુર્ગામ્‍બિકા રાજ રાજેશ્‍વર્યૈ નમો નમ
નિર્વિઘ્‍નમસ્‍ત

ગણપતિ સ્‍મરણ

સુમુખશ્‍ચૈક દંતશ્‍ચ કપિલો ગજકર્ણકઃラ
લંબોદરશ્‍ચ વિકટો વિઘ્‍નનાશો વિનાયકઃラ
ધુમ્રકેતુર્ગણાધ્‍યક્ષો ભાલચંદ્રો ગજાનનઃラ
દ્વાદશૈતાનિ નામામિ યઃ પડેચ્‍છ્રુણુયાદપિ
વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથાラ
સંગ્રામે સંકટે ચૈવ વિઘ્‍નસ્‍તસ્‍ય ન જાયતેラ
શુક્‍લાંબર ધરં દેવં શશિવર્ણ ચતુર્ભુજંラ
પ્રશન્‍નવદનં ધ્‍યાયેતં્‌ સર્વવિઘ્‍નોપશાંતયેラ
લાભસ્‍તેષાં જયેસ્‍તેષાં કુતસ્‍તેષાં પરાજયઃラ
યેષામિન્‍દીવરશ્‍ષામો હૃદયસ્‍થો જનાર્દનઃラ
અભીપ્‍સિતાર્થ સિદ્ધર્થ પૂજાતો યઃસુરાસુરેઃ
સર્વવિઘ્‍નહરસ્‍તસ્‍મૈ ગણાધિપતયે નમઃ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભラ
નિર્વિઘ્‍નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદાラ
સર્વદા સર્વકાર્યેષુ નાસ્‍તિતેષામંગલંラ
યેષાં હૃદિસ્‍થો ભગવાન મંગલાયતનો હરિઃラ
તદેવ લગ્નં સુદિનં તદેવ તારાબંલ ચંદ્રબલં તદેવラ
વિદ્યા જલં દેવ જલં તદેવ લક્ષ્મીપતે તે ધ્રિયુગં સ્‍મરામિラ
યત્ર યોગેશ્‍વઃ કૃષ્‍ણો યત્ર પાર્થો ધર્નુધરઃラ
તત્ર શ્રીર્વિજયો ભૂર્તિધ્રુવાનીતિર્મતિર્મમラ
સર્વેષ્‍વારબ્‍ધ કાર્યેષુ ત્રયસ્ત્રિ ભુવનેશ્‍વરાઃ
દેવા દિશન્‍તુ નઃ સિદ્ધિ બ્રહ્મેશાન જનાર્દનાラ
વિનાયકં ગુરુ ભાનું બ્રહ્માવિષ્‍ણુ મહેશ્‍વરાનラ
સરસ્‍વતીં પ્રણમ્‍યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયેラ
વિશ્‍વેશં માધવં ઢુંઢિં દંડીપાણિં ચ ભૈરવમ્‌
વન્‍દે કાશી ગુહાં ગંગા ભવાની મર્ણિકણિકામ્‌
સ્‍મૃતે સકલકલ્‍યાણ ભાજનં યત્ર જાયતે
પુરુષં તમજ નિત્‍યં વ્રજામિ શરણ હરિમ્‌

નોટઃ- અમુકશબ્‍દની જગ્‍યાએ પંક્‍તિ પંચાંગમાં જોઈને બોલવી. અયન-ઋતુ, માસ પક્ષ, તિથી, વાર, નક્ષત્ર વિગેરે.....

સંકલ્‍પ :- વિષ્‍ણુર્વિષ્‍ણુર્વિષ્‍ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્‍ય વિષ્‍ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્‍ય અદ્ય બ્રહ્મણો દ્વિતિયે પરાર્દ્ધે શ્રી શ્‍વેતવારાહ કલ્‍પે વૈવસ્‍વતમનવંતરે અષ્ટાંવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરએ (જે પ્રદેશમાં રહેતા હોઈએ તે પ્રદેશનું નામ લેવું) ભારત વર્ષેજમ્‍બુદ્વિપે રામક્ષેત્રે પરશુરામાશ્રમે દન્‍ડકારણ્‍ય દેશે શ્રી ગોદાવર્વાઃ પશ્‍ચિમ દિગ્‍ભાગે શ્રી મલ્લવણાબ્‍ધેરુત્તરે તીરે અમુકે શ્રી શાલીવાહન શાકે (જે શક ચાલતુ હોય તે) અસ્‍મિન વર્તમાને અમુકનામ સંવત્‍સરે અમુકાયને અમુક્‍ર્તૌ અમુક માસે અમુક પક્ષે અમુક તિથૌ અમુક વાસરે નક્ષત્રે રાશિસ્‍થિતે ચન્‍દ્રે અમુક રાશિસ્‍થિતે શ્રી સૂર્ય અમુક રાસ્‍થિતે દેવ ગુરૌ શેયેષુ ગ્રહેશુ યથા યથં રાશિસ્‍થાન સ્‍થિતેષુ સત્‍સુ એવં ગુણ વિશેષેણ વિશિષ્ટાયાં શુભપુણ્‍ય તિથૌ મમાત્‍મનઃ શ્રૃતિસ્‍મૃતિ પુરાણોક્‍તિ ફલ પ્રાપ્‍ત્‍યર્થમ્‌ラ ઐશ્‍વર્યાભિસ્‍ટ વૃધ્‍યર્થમ્‌ અપ્રાપ્‍ત લક્ષ્મી પ્રાપ્‍ત્‍યર્થમ્‌
પ્રાપ્‍ત્‍ય લક્ષ્મ્‍યાશ્‍ચિરકાલ સંરક્ષણાર્થમ્‌ સકલ મનઇપ્‍સીત કામનાં સંસ્‍ધ્‍યિર્થમ્‌ લોકે સભાયાં રાજદ્વારે વા સર્વત્ર યશો વિજયલાભાદિ પ્રાપ્‍ત્‍યર્થમ્‌ ઇહ જન્‍મની જન્‍માન્‍તરેવા સકલ દુરિતોપશમનાર્થમ્‌ મમ સભાર્યસ્‍ય સપુત્રસ્‍ય સ બાન્‍ધવસ્‍ય અબિલ કુટુંબ સહિતસ્‍ય સપશોઃસમસ્‍ત ભય વ્‍યાધિ જરા પીડા મૃત્‍યુ પરિહાર દ્વારા આયુ રારોગ્‍યૈશ્‍વયાર્ભિ વદ્ધર્થમ્‌ મમ જન્‍મ રાશેર ખિલ કુટુંબસ્‍ય વા જન્‍મ રાશેઃ સકાશાદ્યે કે ચિત્‌ વિરુદ્ધ ચતુર્થાષ્ટિમ દ્વાદશ સ્‍થાન સ્‍થિત ક્રુરગ્રહાસ્‍તૈઃ સૂચિતં સૂચયિષ્‍ય માણંચયત્‍સર્વારિષ્ટં તદ્ધિનાશદ્વારા એકાદશ સ્‍થાન સ્‍થિતવત શુભફલ પ્રાપ્‍ત્‍યર્થમ્‌ પુત્ર પૌત્રાદિ સન્‍તતે રવિચ્‍છિન્‍ન વૃદ્ધયર્થમ્‌ શત્રુ પરાજય પમુખ ચતુર્વિધ પુરુષાર્થે સિદ્ધર્થમ્‌ અદ્ય શારદીય નવરાત્રે પ્રતિપદિ વિહિતં ઘટસ્‍થાપન દુર્ગાપૂજા કુમારી પૂજાદ્યુત્‍સવાખ્‍યં કર્મ કરિષ્‍યેラ
(ઊપર પ્રમાણે સંકલ્‍પ કરી જલ એક પાત્રમાં છોડવું. ફરી જલ જમણા હાથમાં રાખવું ને નીચેનો સંકલ્‍પ કરવો)
તત્રાદૌ નિર્વિઘ્‍નતા સિધ્‍યર્થમ્‌ દિગરક્ષણ કલશાર્ચન દિપ પૂજન સૂર્ય નારાયણ પૂજન શંખઘંટાર્ચન ગણપતિ પૂજન સ્‍વસ્‍તિપૂણ્‍યાહવાચન બ્રાહ્મણ વરણનવગ્રહ સ્‍થાપનાદિ દુર્ગામ્‍બિકા પૂજન વા યંત્ર સ્‍થિત દેવી પૂજન કર્માહં કરિષ્‍યે.
દિગ્રક્ષણમ્‌ :- 
ડાબા હાથમાં ચોખાના દાણા રાખી તેની ઉપર જમણો હાથ ઢાંકી રાખવો પછી નીચેના મંત્રો ભણવા.અપસર્પન્‍તુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્‍થિતાઃ 
યે ભૂતા વિઘ્‍નકર્તારસ્‍તે નશ્‍યતું શિવાજ્ઞયા
અપક્રામંતુ ભૂતાનિ પિશાચાઃ સર્વતો દિશમ્‌
સર્વેષામવિરોધેન શાંતિ કર્મ સમારંભે 
યદત્ર સંસ્‍થિતં ભૂતં સ્‍થાનમાશ્રિત્‍ય સર્વતઃ 
સ્‍થાનં ત્‍યક્‍ત્‍વા તુ તત્‍સર્વં યત્રસ્‍નં તત્રગચ્‍છતુ 
ભૂતાનિ રાક્ષસાં વાપિ યેત્ર તિષ્ટંતિ કેચન 
તે સર્વેપ્‍યગચ્‍છંતુ ગ્રહશાંતિ કરોમ્‍યહમ્‌ 
આ પ્રમાણે મંત્રો બોલી સર્ષવના દાણા પોતાની ચારે તરફવેરી નાખવા.

ભૈરવ નમસ્‍કાર :-

તીક્ષ્ણુદષ્ટ્ર મહાકાય કલ્‍પાન્‍ત દદનોપમ 
શ્રી ભૈરવ નમસ્‍તુભ્‍યં અનુજ્ઞાં દાતુમર્હસિ 
આ મંત્રથી ભૈરવનું ધ્‍યાન કરી નમસ્‍કાર કરવા. તે પછી ડાબા પગની એડી ત્રણવાર જમીન પર પછડાવી. ત્રણવાર તાળી પાડવી અને જમણા કાને જળનો સ્‍પર્શ કરવો. તે પછી ડાબા હાથતરફચોખાની ઢગલી કરી તેના ઉપર પાણી ભરેલો તાંબાનો કળશ પધરાવવો.કળશને લાલ નાડું બાંધવું તે પછી તેને સ્‍પર્શ કરી નીચેના મંત્રો ભણવા.

કળશના મંત્રો :-

કળશસ્‍ય મુખે વિષ્‍ણુઃ કંઠે રુદ્રઃ સમાશ્રિતઃ 
મૂલે તસ્‍ય સ્‍થિતો બ્રહ્માં મધ્‍યે માતૃગણાઃ સ્‍મૃતા
કક્ષૌ તુ સાગરાઃ સર્વે સપ્તદ્વીપા વસુંધર
ઋગ્‍વેદો યજુર્વેદઃ સામવેદો હાથર્ણવ
અંગૈશ્‍ચ સંહિતાઃ સર્વે કલશં તું સમાશ્રિતા
અત્ર ગાયત્રી સાવિત્રી શાન્‍તિઃ પુષ્ટિકરી તથ
આયાન્‍તુ યજમાનસ્‍ય દુરતિક્ષયકારકા
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્‍વત
નર્મદે સિંધો કાવેરિ જલેસ્‍મિન્‌ સંનિધિં કુરુ 
બ્રહ્માંડોદરતીર્થાનિ કરેઃ સ્‍પૃષ્ટાનિ તે રવ
તેને સત્‍યેન મે દેવ તીર્થં દેહિ દિવાક
હ્રીં ક્રોં અંકુશમુદ્રયા સૂર્યમંડલાત્તીર્થાન્‍યાવાહ્ય 
વં ઇતિધેનુમુદ્રયા અમૃતીકૃત્‍ય 
હું ઇતિ કવચેનાવગુંઠય 
ફટૂ ઇતિ અસ્ત્રેણ સંરક્ષ્ય 
મત્‍સ્‍યમુદ્રયા આચ્‍છાદ્ય 
હ્રીં વં વરુણાય નમઃ આ મંત્ર આઠ વાર બોલવો. પછી હાથમાં ચોખા રાખીને વરુણદેવનું ધ્‍યાન કરવું.
હ્રીં નમો નમસ્‍તે સ્‍ફટિકપ્રભાય શ્‍વેતહારાય સુમંગલા
સુપાશહસ્‍તાય ઞષાસનાય જલાધિનાથાય નમો નમસ્‍ત
અસ્‍મિન્‌ કલશે વરુણ સાંગ સપરિવારં સાયુધં સશક્‍તિક આવાહ્યામિ સ્‍થાપપામિラકલશમાં ચોખા વધાવવા.
હ્રીં અપાંપતયે વરુણાય નમઃ સકલોપયારાર્થેગંધપુષ્‍પાભ્‍યાં સંપૂજ્‍યામિ
કળશ ઉપર ચંદનફૂલ ચોખા વધાવી નમસ્‍કાર કરવા.

સંકલ્‍પ :- અનયા પૂજયા અપાંપતિવરુણઃ પ્રીયતાં ન મમ 
ત્‍યાર પછી કળશમાંથી પોતાના પ્‍યાલામાં થોડું પાણી લેવું. તે પછી પ્‍યાલામાંથી થોડું પાણી ડાબા હાથમાં લઈને નીચેનો મંત્ર ભણી જમણા હાથ વડે પૂજાનાં સઘળાં સાધનો ઉપર થોડું થોડું છાંટી જવું તેમજ પોતાના શરીર ઉપર પણ છાટવું.

મંત્ર :-
હ્રીં અપવિત્રં પવિત્રોવા સર્વાવસ્‍થાં ગતોપિ વ
યઃ સ્‍મરેત્‌ પુંડરીકાક્ષં સ બાહ્યભ્‍યંતરઃ શુચિઃ 
હ્રીં વિષ્‍ણવે નમઃ એ મંત્ર ત્રણવાર બોલવો સર્વપવિત્રમસ્‍ત

દીપપૂજન :- ઘી તથા તેલ ભરેલા બે દીવા પ્રગટ કરવા તેને પવન ન લાગે. તેવી જગ્‍યાએમૂકવા તે પછી નીચેના મંત્રથી પૂજા કરવી.

હ્રીં ભો દીપં દેવ રૂપસ્‍ત્‍વં કર્મસાક્ષી હ્યવિઘ્‍નકૃત્‌ 
પ્રકાશં દેહિ મે નિત્‍યં રક્ષ કર્મ મયા કૃતમ્‌ 
હ્રીં દીપસ્‍થદેવતાભ્‍યો નમઃ સકલપૂજાર્થેગંધાક્ષત પુષ્‍પાણિ સમર્પયામિ
દીવા ઉપર ચંદન પુષ્‍પ ચોખા વધાવી પ્રણામ કરવા.

Tuesday, July 30, 2013

અભ્યાસ, નોકરી, વ્યવસાય અને કોર્ટકેસમાં સફળતા માટે આટલું અજમાવો(Nakshatra)

અભ્યાસ, નોકરી, વ્યવસાય અને કોર્ટકેસમાં સફળતા માટે આટલું અજમાવો(Nakshatra)

તમારો જન્મ કયા વારે થયો હતો?(Nakshatra)

તમારો જન્મ કયા વારે થયો હતો?(Nakshatra)

ધન, સુખ, સાહસ, શૌર્ય અને સ્નેહને સિદ્ધ કરતા(Nakshatra)

ધન, સુખ, સાહસ, શૌર્ય અને સ્નેહને સિદ્ધ કરતા(Nakshatra)

વિવાહ, નોકરી અને નવું ઘર વસાવવાના ચમત્કારિક ઉપાયો(Nakshatra)

વિવાહ, નોકરી અને નવું ઘર વસાવવાના ચમત્કારિક ઉપાયો(Nakshatra)

Friday, May 31, 2013

અદ્વિતીય મુલ્લા નસીરુદ્દીન-૨ (કેલિડોસ્કોપ)(Columnist)

અદ્વિતીય મુલ્લા નસીરુદ્દીન-૨ (કેલિડોસ્કોપ)(Columnist)

તમારાં સ્વપ્નો શુભ છે કે અશુભ?(Nakshatra)

તમારાં સ્વપ્નો શુભ છે કે અશુભ?(Nakshatra)

કોડીઓના ચમત્કારિક પ્રયોગ(Nakshatra)

કોડીઓના ચમત્કારિક પ્રયોગ(Nakshatra)

મંત્રજાપથી સુખ-સમૃદ્ધિ મેળવો(Nakshatra)

મંત્રજાપથી સુખ-સમૃદ્ધિ મેળવો(Nakshatra)

હસ્તરેખા અને વિવાહ યોગ(Nakshatra)

હસ્તરેખા અને વિવાહ યોગ(Nakshatra)

પુરુષના હોઠ પરથી વ્યક્તિત્વ જાણો(Nakshatra)

પુરુષના હોઠ પરથી વ્યક્તિત્વ જાણો(Nakshatra)

હસ્તાક્ષરને બળવાન બનાવો(Nakshatra)

હસ્તાક્ષરને બળવાન બનાવો(Nakshatra)

શું કહે છે તમારા નખ?(Nakshatra)

શું કહે છે તમારા નખ?(Nakshatra)

સમુદ્રમંથન કાજ ધર્યો કૂર્મ અવતાર(Shraddha)

સમુદ્રમંથન કાજ ધર્યો કૂર્મ અવતાર(Shraddha)

નૃસિંહઃ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર (Shraddha)

નૃસિંહઃ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર (Shraddha)

Tuesday, May 14, 2013

વનવગડો, ડુંગરા, ધોધ, સમુદ્ર અને ઐતિહાસિક સ્થળો છે

બધું એક જ જગ્યાએ વનવગડો, ડુંગરા, ધોધ, સમુદ્ર અને ઐતિહાસિક સ્થળો છે વસઈમાં * સુરુ-ચી બાગ (એકદમ ઉપર) અને વસઈનો કિલ્લો * ચિંચોટીનો ધોધ * તુંગારેશ્ર્વરનો ધોધ વિપુલ વૈદ્ય મુંબઈનાં મોટા ભાગનાં પિકનિક પોઈન્ટ જોઈ લીધાં છે. મુંબઈની નજીક એવું સ્થળ શોધી રહ્યા છો જ્યાં અમુક કલાકોમાં જઈને આવી શકાય, તો એવું સ્થળ છે વસઈ. મુંબઈની એકદમ નજીક જ્યાં સમુદ્રકિનારો પણ છે, અભયારણ્ય પણ છે અને સુંદર ડુંગરા અને તેના પરથી વહેતાં ઝરણાં અને ધોધ પણ છે. ઈતિહાસ અને ઐતિહાસિક જગ્યામાં રસ હોય તેમને માટે વસઈનો કિલ્લો પણ છે. સાહસિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકો વસઈમાં ટ્રેકિંગ અને પેરાગ્લાઈડિંગ પણ કરી શકે છે. મુંબઈના ૯૯ ટકા ગુજરાતીઓને શહેરની અત્યંત નજીક આવેલું હિલસ્ટેશન એટલે લોનાવલા-ખંડાલા એની ખબર હશે, પરંતુ મુંબઈ શહેરની અત્યંત નજીક આવેલા તુંગારેેશ્ર્વર અને ચિંચોટીના ડુંગરા અને તેના પરના મનમોહક ધોધ વિશેની જાણકારી પાંચ ટકા ગુજરાતીઓને પણ નહીં હોય. આજે મુંબઈ શહેરની અત્યંત નજીક આવેલા વસઈ શહેરના અનેક પિકનિક સ્પોટ વિશેની માહિતી મેળવીએ. સુરુ-ચી બાગ જે ગાર્ડન નહીં બીચ છે વસઈમાં પિકનિક માટેની અત્યંત લોકપ્રિય અને ફિટ ફોર ફેમિલી જગ્યા છે સુરુચી બાગ. આ નામ પહેલી વખત સાંભળનારા ૯૦ ટકા લોકો આ જગ્યા કોઈ ગાર્ડન હોવાનું ધારી લે છે, પરંતુ આ કોઈ ગાર્ડનનું નહીં વસઈમાં આવેલા એક અત્યંત સુંદર સમુદ્રકિનારા અથવા તો બીચનું નામ છે. આ જગ્યાનું નામ સુરુચી બાગ નહીં સુરુ-ચી બાગ એટલે કે સુરુ નામના વૃક્ષનો બગીચો છે. વસઈના આ દરિયાકિનારા પર મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન પાઈનનાં વૃક્ષો, જેને મરાઠીમાં સુરુ (કેમ કે તેના પાંદડાનો આકાર સોઈ જેવો હોય છે) કહેવાય છે, આવેલા છે અથવા તો હતા. અત્યારે તો આમાંના મોટા ભાગનાં વૃક્ષોની કતલ થઈ ગઈ છે. શાંત અને સ્વચ્છ સમુદ્રકિનારાનો આનંદ માણવો હોય તો વસઈના એકમાત્ર ફેમિલી પિકનિક પોઈન્ટ તરીકે જાણીતા સુરુ-ચી બાગનો આનંદ લઈ શકાય. વર્ષના ૩૦૦ દિવસ સૂર્યાસ્ત વખતે અહીં રંગોની અનોખી છટા જોવા મળે છે, જોકે અંધારું થયા બાદ અહીં વધુ રોકાવું સલાહભર્યું નથી. કેવી રીતે જઈ શકાય? વસઈ સ્ટેશનથી પારનાકા સુધી રિક્ષામાં જઈને ત્યાંથી બે મિનિટ પગપાળા ચાલીને પહોંચી શકાય તુંગારેશ્ર્વર વસઈના પૂર્વમાં આવેલું એક ઐતિહાસિક ધાર્મિક સ્થળ જે હવે પિકનિક સ્પોટ તરીકે વધુ લોકપ્રિય બની રહ્યું છે. મુંબઈના નેશનલ પાર્કના અભયારણ્યમાં પ્રવેશ ન મળતાં દુ:ખી થયેલા લોકો તુંગારેશ્ર્વરમાં અસલી જંગલનો આનંદ માણી શકે છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલા સહ્યાદ્રિની હારમાળાના ૨૧૭૭ ફિટના સૌથી ઊંચા ડુંગરા પર એક ઐતિહાસિક શિવમંદિર આવેલું છે. તેનાથી થોડે ઉપર સદાનંદ બાબાનો આશ્રમ પણ છે અને ડુંગરની બીજી તરફ બાપા સીતારામની મઢુલી પણ છે. અત્યારે પિકનિક પોઈન્ટના એન્ગલથી વાત કરીએ તો વન્યપ્રેમીઓ અને ટ્રેકિંગનો શોખ ધરાવતા લોકો માટે ભીડભાડથી દૂર એવી આ સારી જગ્યા છે. આ ડુંગરા પર અનેક નાના-મોટા ધોધ આવેલા છે અને વર્ષના ૮ મહિના અત્યંત આનંદ આપી શકે છે. ઉનાળાના ચાર મહિના પાણી ઓછું હોવાથી એટલો આનંદ માણી શકાતો નથી, પરંતુ શહેરમાં જેટલી ગરમી થાય છે તેનાથી આ વન્ય વિસ્તારમાં ઘણી ઓછી ગરમી લાગે છે. આ જંગલોમાં દીપડા અને રીંછ જેવા હાનિ પહોંચાડી શકે તેવા પ્રાણીઓ અને અનેક પ્રકારના સાપ, નાગ અને અજગર રહેતા હોવાથી અંધારું થાય એટલે આ જગ્યાએથી નીકળી જવું હિતાવહ છે. કેવી રીતે જઈ શકાય મુંબઈ અમદાવાદ હાઈવે પર વસઈ ફાટા પાસે ઊતરીને ચાલતા જઈ શકાય વસઈ રેલવે સ્ટેશનથી તુંગારેશ્ર્વર જવા એસટી બસ મળે છે. ઈસ્ટમાંથી રિક્ષા દ્વારા જઈ શકાય ચિંચોટી મુુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલા વસઈ તાલુકાના જૈનોના તીર્થસ્થાન તરીકે જાણીતા કામણગામથી ચિંચોટીના પ્રખ્યાત વોટર ફોલ્સનો આનંદ મેળવવા માટે સહેલાણીઓ જતા હોય છે. તુંગારેશ્ર્વરના જ ડુંગર પર બીજી તરફથી આ ધોધ પર જઈ શકાય છે. વાસ્તવમાં જંગલમાંથી જવાના બે અલગ અલગ રસ્તા છે અને બંને રસ્તા ચિંચોટીના પ્રખ્યાત ધોધ સુધી લઈ જાય છે. વસઈ તાલુકાના સૌથી ઊંચા ડુંગર પર આવેલા ૧૨૫ ફૂટ ઊંચા ધોધમાં પલળવાનો રોમાંચ અલગ જ છે, પરંતુ આ ધોધ સુધી પહોંચવાની યાત્રા પણ એટલી જ રોમાંચક છે. ગાઢ જંગલમાંથી પસાર થઈને અહીં પહોંચવું પડે છે અને કેટલીક વખત દીપડાનો સામનો પણ થઈ શકેછે. આ ધોધનો આનંદ વર્ષના ૧૦ મહિના સુધી માણી શકાય છે, પરંતુ ચોમાસામાં અહીં આવવું અત્યંત જોખમી હોય છે. ખાસ કરીને ભારે વરસાદમાં પાણીનું વહેણ જોશમાં હોય છે અને આસપાસની માટી અત્યંત ચીકણી ત્યારે લપસી પડવાના બનાવ અત્યંત સામાન્ય છે. બીજું વરસાદમાં સાપ નાગ વગેરે બહાર આવતા હોવાથી પણ જોખમ હોય છે. બીજું ધોધ જ્યાં નીચે પડે છે તે તળાવ પણ આઠ ફૂટ જેટલું ઊંડું હોવાથી જેમને તરતાં ન આવડતું હોય તેમણે પાણીમાં કૂદકા મારવા નહીં. ચિંચોટી જતી વખતે સારા જૂતાં, રેઈન જેકેટ, દોરડું, ટોર્ચ જેવી વસ્તુઓ રાખવાની ખાસ સલાહ આપવામાં આવે છે. અહીં ચોમાસામાં તણાઈ જવાના અનેક કિસ્સા બને છે. કેવી રીતે જવાય? નાયગાંવ રેલવે સ્ટેશન પર ઊતરીને રિક્ષા સ્ટેન્ડથી ચિંચોટી નાકા અથવા ચિંચોટી ધોધની રિક્ષા મળશે. મુંબઈ -અમદાવાદ હાઈવે પર કામણગામ પાસે ઊતરીને ચાલતા જઈ શકાય વસઈનો કિલ્લો ગુજરાતના સૂબા બહાદુર શાહે વસઈનો કિલ્લો બનાવ્યો હતો અને ત્યાર બાદ પોર્ટુગીઝોએ આ કિલ્લાને અત્યારનું સ્વરૂપ આપ્યું હતું. ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલા વસઈને પોર્ટુગીઝોએ આ કિલ્લા દ્વારા સુરક્ષિત બનાવ્યું હતું. પૂરા ૨૦૫ વર્ષ બાદ મરાઠાઓએ મહિનાઓ સુધી પોર્ટુગીઝોને લડત આપીને ૧૭૩૯માં વસઈના કિલ્લા પર વિજય મેળવ્યો હતો અને વજ્રેશ્વરી દેવીની સ્થાપના કરી હતી. આ કિલ્લામાં મરાઠાઓના વિજયની યાદમાં છત્રપતિ શિવાજીનું નહીં, મરાઠા સરદાર ચિમાજી આપ્પાનું અશ્ર્વારૂઢ પૂતળું છે. જોકે આટલું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું હોવા છતાં મરાઠા શાસકોએ આ કિલ્લા અને વસઈ પ્રત્યે દુર્લક્ષ કર્યું હતું, વાસ્તવમાં વસઈમાં પોર્ટુગીઝો દ્વારા જે ધર્માંતરણની ઝુંબેશ ચલાવવામાં આવી હતી તેને રોકવા માટે જ મરાઠાઓ દ્વારા વસઈ પર આક્રમણ કરવામાં આવ્યું હતું, પરંતુ એક વખત વસઈ પર વિજય મળ્યા બાદ તેમને અહીં રહેવામાં રસ નહોતો. કેમ કે તેમને એવો ડર હતો કે પોર્ટુગીઝો દ્વારા જે ખ્રિસ્તીકરણ કરવામાં આવ્યું હતું તેનાથી તેમનો પણ ધર્મ ભ્રષ્ટ થઈ જશે. ત્યારથી દુર્લક્ષિત વસઈનો કિલ્લો અત્યારે દેશના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના હાથમાં ગયા બાદ પણ દુર્લક્ષિત જ છે. કેવી રીતે જવાય? વસઈ રેલવે સ્ટેશનથી એસટીની બસ અને ઓટોરિક્ષામાં જઈ શકાય આ ઉપરાંત વસઈ તાલુકામાં સુરુ-ચી બીચ જેટલા જ પ્રખ્યાત બીજા સમુદ્ર કિનારાઓ પણ છે, જેની મજા એક વખત તો લેવી જ જોઈએ, જેમાં સૌથી પહેલાં આવે કળંબ બીચ, ત્યાર બાદ કલિંગર માટે પ્રખ્યાત રાણગાંવનો દરિયા કિનારો, બંને જગ્યાએ જવા માટે વસઈ રેલવે સ્ટેશન પાસેના એસટી સ્ટેન્ડ પરથી બસ મળે છે. વિરાર રેલવે સ્ટેશનથી અર્નાળા બીચ જઈ શકા છે અને અહીં જ બીજી એક જોવા જેવી વસ્તુ છે અર્નાળાનો કિલ્લો. અર્નાળા જતાં રસ્તામાં જ અગાશી ગામ આવે છે જ્યાં જૈનોનું જાણીતું દેરાસર આવેલું છે. આ ઉપરાંત નાલાસોપારાના સોપારા ગામમા ઐતિહાસિક બૌદ્ધ સ્તૂપ આવેલા છે. આ બૌદ્ધ સ્તુપમાં બુદ્ધનું ભિક્ષાપાત્ર રાખવામાં આવ્યું છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા વસઈ તાલુકામાં જે ચારેક સાઈટનું જતન કરે છે તેમાં એક આ બૌદ્ધ સ્તૂપ પણ છે જેનું નૂતનીકરણ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. નાલાસોપારામાં જ ઐતિહાસિક ચક્રેશ્ર્વર મહાદેવનું મંદિર છે. પાંડવોએ આ મંદિરમાં પૂજા કરી હોવાનું માનવામાં આવે છે આ મંદિરને લાગીને આવેલા ચક્રેશ્ર્વર તળાવનું તાજેતરમાં જ નૂતનીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વસઈના પ્રખ્યાત સાતીવલી અને વજ્રેશ્ર્વરીમાં આવેલા ગરમ પાણીના કુંડ જેવા ફરવાનાં અનેક સ્થળો છે.

વન ડે પિકનિક માટે બેસ્ટ ઓપ્શન પવઈ

Mumbai Samachar - મુંબઈ સમાચાર

ઉકળતી બપોરનો આશરો

Mumbai Samachar - મુંબઈ સમાચાર

વિચિત્ર વૃક્ષોની અજાયબ સૃષ્ટિ!

Mumbai Samachar - મુંબઈ સમાચાર

શુદ્ધતાનું પ્રતીક કમળ મુદ્રા

Mumbai Samachar - મુંબઈ સમાચાર

Wednesday, May 1, 2013

મહારાજ : અમે તો તમને ભુલાવી દીધા (છપ્પનવખારી)(Columnist)

મહારાજ : અમે તો તમને ભુલાવી દીધા (છપ્પનવખારી)(Columnist)

એકચુરિયલ વિજ્ઞાન એટલે સંખ્યાના આંકડાઓનો વ્યવસાય(Career)

એકચુરિયલ વિજ્ઞાન એટલે સંખ્યાના આંકડાઓનો વ્યવસાય(Career)

આવડતને પરિપક્વ બનાવો(Career)

આવડતને પરિપક્વ બનાવો(Career)

ઓફિસમાં સ્ટ્રેસથી કેવી રીતે દૂર રહેશો?(Career)

ઓફિસમાં સ્ટ્રેસથી કેવી રીતે દૂર રહેશો?(Career)

કમાણી કરાવી આપતા અત્યાધુનિક કોર્સ(Career)

કમાણી કરાવી આપતા અત્યાધુનિક કોર્સ(Career)

પ્રાચીનતમ અને સ્વતંત્રઃ જૈન ધર્મ(Shraddha)

પ્રાચીનતમ અને સ્વતંત્રઃ જૈન ધર્મ(Shraddha)

શંકરના અંશી અવતાર અને અનન્ય રામભક્ત : હનુમાનજી(Shraddha)

શંકરના અંશી અવતાર અને અનન્ય રામભક્ત : હનુમાનજી(Shraddha)

Thursday, April 18, 2013

રત્નો ક્યારે અસર બતાવે છે?(Nakshatra)

રત્નો ક્યારે અસર બતાવે છે?(Nakshatra)

વિવિધોપયોગી જ્યોતિષીય નુસખાઓ(Nakshatra)

વિવિધોપયોગી જ્યોતિષીય નુસખાઓ(Nakshatra)

લાલ કિતાબ મુજબ ગ્રહોના દોષ દૂર કરવાના ઉપાય(Nakshatra)

લાલ કિતાબ મુજબ ગ્રહોના દોષ દૂર કરવાના ઉપાય(Nakshatra)

શરીર પર ગરોળી પડે ત્યારે લાભ થાય કે નુકસાન?(Nakshatra)

શરીર પર ગરોળી પડે ત્યારે લાભ થાય કે નુકસાન?(Nakshatra)

હથેળીમાં ક્રોસના ચિહ્નનું મહત્ત્વ(Nakshatra)

હથેળીમાં ક્રોસના ચિહ્નનું મહત્ત્વ(Nakshatra)

રોજગારી મેળવવાના અસરકારક ઉપાયો(Nakshatra)

રોજગારી મેળવવાના અસરકારક ઉપાયો(Nakshatra)

ગ્રહોનાં યંત્રો દ્વારા લાભ મેળવો(Nakshatra)

ગ્રહોનાં યંત્રો દ્વારા લાભ મેળવો(Nakshatra)

વૈકુંઠની પ્રાપ્તિ કરાવતું વ્રત ગોવિંદ દ્વાદશી(Shraddha)

વૈકુંઠની પ્રાપ્તિ કરાવતું વ્રત ગોવિંદ દ્વાદશી(Shraddha)

કળિયુગમાં ભાવિકોનું કલ્યાણ કરતા : શ્રીનાથજી(Shraddha)

કળિયુગમાં ભાવિકોનું કલ્યાણ કરતા : શ્રીનાથજી(Shraddha)

શ્રીરામને વિજય અપાવનારી વિજયા એકાદશી(Shraddha)

શ્રીરામને વિજય અપાવનારી વિજયા એકાદશી(Shraddha)

શ્રીરામનો પ્રાગટય દિવસઃ રામનવમી(Shraddha)

શ્રીરામનો પ્રાગટય દિવસઃ રામનવમી(Shraddha)

શાપમાંથી મુક્તિ અપાવતી કામદા એકાદશી(Shraddha)

શાપમાંથી મુક્તિ અપાવતી કામદા એકાદશી(Shraddha)

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકરઃ મહાવીર સ્વામી(Shraddha)

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકરઃ મહાવીર સ્વામી(Shraddha)

દેવાધિદેવનું સુવર્ણમય સ્વરૂપ હાટકેશ્વર મહાદેવ(Shraddha)

દેવાધિદેવનું સુવર્ણમય સ્વરૂપ હાટકેશ્વર મહાદેવ(Shraddha)

મનની વાત જાણે તે અંતર્યામી શ્રીરામ(Shraddha)

મનની વાત જાણે તે અંતર્યામી શ્રીરામ(Shraddha)

Tuesday, January 22, 2013

મહામંગલકારી ૐ નમઃ શિવાય

છે મંત્ર મહામંગલકારી ૐ નમઃ શિવાય






ગાયકઃ- હેમંત ચૌહાણ

છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
જાપ જપો સહુ નરનારી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

એ મંત્રથી રામ વિજયને વર્યા,શ્રી રામેશ્વરને યાદ કર્યા
કરી શિવને પરસન્ન કર્યા
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ગાંધર્વો જેનું ગાન કરે, સનકાદિક રસ પાન કરે
શ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

યમ કુબેરે ઈન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા જેવો
શ્રદ્ધા રાખી શિવને સેવો
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ઋષિ મુનિઓ જેના ધ્યાને છે વળી વેદ પુરાણનાં પાને છે
બ્રહ્મા ને વિષ્ણુ વખાણે છે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

એ મંત્રથી સર્વે સિદ્ધિ મળે વળી તનમનનાં બધા પાપ ટળે
છેવટે મુક્તિનું ધામ મળે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

એ મંત્ર છે સદા શુભકારી ભવસાગરથી લેશે તારી
પ્રેમેથી બોલો સંસારી
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય raval.blogspot.in